gunotsav

રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી તેની ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના ઉપાય કરવા તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. ગુણોત્સવ કાર્યક્રમ ૨૦૦૯-૧૦ થી ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાય છે  અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરે છે આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં શાળા, શિક્ષકને ગ્રેડ આપવામાં આવે છે. સને-૨૦૧૨-૧૩ ના શૈક્ષણિક વર્ષમાં જી.સી.ઇ.આર.ટી.ની ગાઈડલાઈન મુજબ વરસની આખરમાં (માર્ચ-૨૦૧૩) ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે.

ગુણોત્સવ વેબ સાઈટ

ધોરણ-૩ ટુલ્સ
ધોરણ-૪ ટુલ્સ
ધોરણ-૫ ટુલ્સ
ધોરણ-૬ ટુલ્સ
ધોરણ-૭ ટુલ્સ
ધોરણ-૮ ટુલ્સ
ગુણોત્સવ પુસ્તિકા-૨૦૧૧ 

ગુણોત્સવ-૪ (૨૦૧૨-૧૩) દરેક શાળામાં તા:૧૨-૦૪-૨૦૧૩ ના રોજ તમામ  શાળામાં આયોજન કરવાનું છે. દરેક શાળાએ સ્વ-મૂલ્યાંકન (આંતરિક મૂલ્યાંકન)કરવાનું છે.
સંભવિત ઓક્ટોબર-૨૦૧૩ માં બાહ્ય મૂલ્યાંકન માટે અધિકારી-પદાધિકારીની ટીમ શાળાઓમાં આવશે.
તા:૦૯-૦૪-૨૦૧૩ ના રોજ સવારે  ૯-૦૦ કલાકે ગુણોત્સવ-૪ અન્વયે બાયસેગ પરથી પ્રસારિત થનાર વીડીઓ કોન્ફરન્સ દરેક શાળાના આચાર્ય, એસ.એમ.સી.ના સભ્યો અને શિક્ષકોએ ભાગ લેવાનો  છે.
gunotsav gunotsav Reviewed by Unknown on 1:04 AM Rating: 5

No comments:

Powered by Blogger.